PM Vishwakarma Yojana 2023-PM વિશ્વકર્મા યોજના,નાના-મોટો વ્યવસાય કરતાં લોકોને સહાય.

PM Vishwakarma Yojana 2023: કેન્દ્ર સરકારે સામાન્ય બજેટ 2023 – 24માં PM વિશ્વકર્મા યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી અને હવે આગામી તારીખ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી આ યોજના લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ યોજના માટે નાણાકીય વર્ષ 2023-24થી નાણાકીય વર્ષ 2027-28 સુધી 13000 કરોડ રૂપિયાના ખર્ચની જોગવાઈ છે.

PM Vishwakarma Yojana

આ યોજનાનો ઉદ્દેશ્ય કારીગરો અને શિલ્પકારોની સ્કીલને નિખારવાનો છે. આ યોજના હેઠળ કારીગરો અને શિલ્પકારો સુધી પ્રોડક્ટ અને સેવાઓની પહોંચ વધુ સારી બનશે.

રૂ.15000નું પ્રોત્સાહન મળશે

PM વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.15000નું ટૂલકીટ પ્રોત્સાહન મળશે. તેમજ લાભાર્થીઓને રોજના રૂ.500 સ્ટાઈપેન્ડ સાથે બેઝિક સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ યોજનાનો હેતુ સુથાર, કડિયા, કુંભાર, લુહાર કે પછી આવા કામ કરતા કારીગરોનો વિકાસ કરવાનો અને તેમને મુખ્યધારા સાથે જોડી આત્મનિર્ભર બનાવવાનો છે.

આ યોજના હેઠળ ગુરુ-શિષ્ય પરંપરા અથવા હાથ અને સાધનોથી કામ કરતા કારીગરોના પરંપરાગત કૌશલ્યોની કુટુંબ આધારિત પ્રથાને મજબૂત બનાવવા અને પોષવાનો પ્રયાસ થશે. આ યોજનાનો લાભ લઈ કારીગરો અને શિલ્પકારો ગુણવત્તામાં સુધારો કરી શકશે. આ સાથે તેઓ ડોમેસ્ટિક અને ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં સંકલન સાધી શકશે.

કોણ કોણ લઈ શકે છે લાભ?

આ યોજનાનો લાભ સુથાર, લુહાર, સોની, મિસ્ત્રી, વાળંદ, માળા બનાવનાર, ધોબી, દરજી, તાળુ બનાવનાર, શસ્ત્રો બનાવનાર, શિલ્પકારો, પથ્થરની કોતરણી કરનાર, પથ્થર તોડનાર, મોચી / પગરખાં બનાવનાર, બોટ બનાવનાર, બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર, ઢીંગલી અને રમકડા બનાવનાર, હેમર અને ટૂલકિટ ઉત્પાદક તેમજ માછલી પકડવાની જાળ બનાવનાર સહિતના કારીગરો લઈ શકશે.

વિશ્વકર્મા યોજના હેઠળ શું મળશે લાભ?

આ યોજના હેઠળ તાલુકા અથવા જિલ્લા મથકોમાં રહેલા નાના અને મધ્યમ ઉદ્યોગો વિભાગ દ્વારા તાલીમ કાર્યક્રમ શરૂ થશે. લાભાર્થીને ટ્રેનિંગ સેશન મળશે. આ ટ્રેનિંગ સેશનના માધ્યમથી તેઓ માટે રોજગારીની તકો વધશે. બીજી તરફ આ યોજના હેઠળ તાલીમ મેળવતા કારીગરોને અર્ધકુશળ વેતન જેટલી આર્થિક સહાય આપવામાં આવશે.

યોજનાનો લાભ લેવા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે?

Pm  યોજનાનો લાભ લેવા ઈચ્છતા અરજદારની ઉંમર 18 વર્ષ કે પછી તેથી વધુ હોવી જોઈએ. ઉમેદવારને યોજનાનો લાભ લેવા આધાર કાર્ડ, ઓળખકાર્ડ, રહેણાંકનો પુરાવો, મોબાઈલ નંબર, જાતિનું પ્રમાણપત્ર, બેન્ક એકાઉન્ટની પાસબુક અને પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું?

આ યોજનામાં રૂ.13,000 કરોડનો ખર્ચ થશે. આ રકમ કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. વિશ્વકર્માનું ફ્રી રજિસ્ટ્રેશન કોમન સર્વિસ સેન્ટર્સ થકી બાયોમેટ્રિક આધારિત પીએમ વિશ્વકર્મા પોર્ટલનો ઉપયોગ કરીને થઈ શકશે. લાભ લેવા યોગ્ય ઉમેદવારોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા સર્ટીફીકેટ અને આઈ-કાર્ડ અપાશે. તેમને આધુનિક તાલીમ સાથે સંબંધિત કૌશલ્ય સંવર્ધન, રૂ. 15,000નું ટૂલકિટ પ્રોત્સાહન, 5 ટકાના વ્યાજદરે રૂ. 1 લાખ સુધીની કોલેટરલ ફ્રી ક્રેડિટ (પ્રથમ હપ્તો) અને રૂ. 2 લાખ (બીજો હપ્તો)ની સહાય આપવામાં આવશે. તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન અને માર્કેટિંગ સપોર્ટ પણ મળશે.

Leave a Comment